Pages

Search This Website

Saturday 6 August 2022

માનદવેતનથી શિક્ષણકાર્ય કરાવવા માટે પે - સેન્ટરો ખાતે અંશકાલીન સંગીત શિક્ષકોની નિમણુંક કરવા બાબત

માનદવેતનથી શિક્ષણકાર્ય કરાવવા માટે પે - સેન્ટરો ખાતે અંશકાલીન સંગીત શિક્ષકોની નિમણુંક કરવા બાબત

મહત્વપૂર્ણ લિંક 

માનદવેતનથી શિક્ષણકાર્ય કરાવવા માટે પે - સેન્ટરો ખાતે અંશકાલીન સંગીત શિક્ષકોની નિમણુંક કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


માનદવેતનથી શિક્ષણકાર્ય કરાવવા માટે પે - સેન્ટરો ખાતે અંશકાલીન સંગીત શિક્ષકોની નિમણુંક કરવા બાબત . સંદર્ભઃ- ( 1 ) શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંકઃપીઆરઈ / 142016 / 3527 / ક તા .17 / 10 / 2017 ( 2 ) શિક્ષણ વિભાગના પત્ર ક્રમાંક : પીઆરઈ / 1110 / 223 / ક તા .08 / 07 / 2022 ( 3 ) શિક્ષણ વિભાગના પત્ર ક્રમાંકઃપીઆરઈ / 122019 / પ્રાશિનિ -322 / ક તા .4 / 8 / 2022 ઉપર્યુક્ત વિષય અન્વયે જણાવવાનું કે શિક્ષણ વિભાગના સંદર્ભ -1 ના ઠરાવથી રાજયમાં આવેલી જિલ્લા / નગર શિક્ષણ સમિતિ હસ્તકની પગાર કેન્દ્ર શાળાઓમાં માનદ વેતનથી શારીરિક શિક્ષણના શિક્ષક અને ચિત્ર શિક્ષકની નિમણૂંક અંગેની યોજના વર્ષ 2017-18 થી અમલમાં મૂકવામાં આવેલ છે . RTE Act 2009 ની જોગવાઈ અનુસાર અંશકાલીન શિક્ષણ તરીકે ( 1 ) કલાશિક્ષણ ( 2 ) આરોગ્ય અને શારીરિક શિક્ષણ અને ( 3 ) કાર્ય શિક્ષણનો સમાવેશ કરવામાં આવેલ છે , જે પૈકી કલા શિક્ષણમાં અંશકાલીન ચિત્ર શિક્ષક અને અંશકાલીન સંગીત શિક્ષકનો સમાવેશ થાય છે . MCA No.311 / 2022 in SCA No.8173 / 2012 અને SCA No.8992 / 2012 ના નામ.હાઈકોર્ટના તા .19 / 03 / 2019 ના ચુકાદા અન્વયે અંશકાલીન સંગીત શિક્ષક ( પાર્ટટાઈમ ઈન્સ્ટ્રકટર ) ની ભરતી અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા ભરતી નિયમો તૈયાર થાય તે પહેલાં વચગાળાની વ્યવસ્થા કરવામાં આવે છે . શિક્ષણ વિભાગના સંદર્ભ -2 ના ઠરાવથી શિક્ષણ વિભાગના તા .27 / 04 / 2011 ના ઠરાવની પ્રકરણ -2 ( ડ ) ની “ અંશકાલીન શિક્ષક ’ હેઠળની કલા શિક્ષણની શૈક્ષણિક લાયકાતમાં સંગીત શિક્ષકની લાયકાત માટે “ સંગીત વિશારદ ( સરકાર માન્ય સંસ્થામાંથી સંગીત વિશારદનું પ્રમાણપત્ર મેળવેલ હોવું જોઈએ . ) નિયત કરવામાં આવેલ છે . શિક્ષણ વિભાગના સંદર્ભ -૩ ના પત્રથી ચાલુ શૈક્ષણિક વર્ષમાં 1753 પે - સેન્ટર ખાતે અંશકાલીન સંગીત શિક્ષકોની સંદર્ભ -1 હેઠળના ઠરાવમાં દર્શાવેલી જોગવાઈ અને સૂચવેલ માનદવેતન અનુસાર નિમણૂંક કરવાની મંજૂરી આપેલ છે . ઉક્ત મંજૂરીના આધારે આ સાથે સામેલ એનેક્ષર -1 અને 2 માં આપના જિલ્લા / નગર શિક્ષણ સમિતિના નામ સામે ફાળવેલ અંશકાલીન સંગીત શિક્ષકોની મર્યાદામાં નીચે મુજબની શરતોને આધીન તા .08 / 08 / 2022 થી તા .30 / 04 / 2023 સુધી નિમણૂંક કરવા આથી મંજૂરી આપવામાં આવે છે . 

1 comment:

Featured post